જ્ઞાનવિધિ શું છે ?
જ્ઞાનવિધિ એ આત્મજ્ઞાન (આત્મસાક્ષાત્કાર) પ્રાપ્ત કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે આધ્યાત્મિક ગુરુ (જ્ઞાની પુરુષ)ની હાજરીમાં થાય છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આત્મજ્ઞાનથી - આત્મા તેમજ મન, વચન અને કાયા વચ્ચે કાયમી રીતે ભેદરેખા પડી જાય છે.